બે વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી.
આજ રથયાત્રા નિર્ધારિત સમય અનુસાર નગરચર્યા કરી રહી છે, આપ સૌ પણ ઘરે બેઠા જ લાઈવ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં સામેલ થઈ શકો છો, અને ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી શકો છો.
Youtube દ્રારા લાઈવ રથયાત્રાના દર્શન કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.