મિત્રો, તા. 13-8-2008ના ઠરાવથી રાજય સરકારની સેવામાં સીધી ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નકકી કરવામાં આવેલ છે. અને ઠરાવના પત્રક -1 માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરના બેઝીક નોલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારની ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નૉલેજ શું ગણવું ?
આ ઠરાવમાં ધોરણ -10 અને ધોરણ -12 ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તો તેવા પ્રમાણપત્રોને રાજય સરકારની સેવામાં સીધી ભરતી માટે માન્ય ગણવામાં આવેલ છે. આ ઠરાવ પ્રમાણે ધોરણ -10 અને ધોરણ -12 બન્ને વર્ષમાં કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ તેવું અર્થઘટન થવાની શકયતા હતી.
તેથી હવે તેમાં સુધારો કરીને ધોરણ -10 અને ધોરણ -12ના બદલે ધોરણ -10 અથવા ધોરણ -12 માં કોમ્પ્યુટરના વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો રાજય સેવાની સીધી ભરતી માટે કોમ્પ્યુટર બેઝીક નોલેજના પ્રમાણપત્ર તરીકે માન્ય ગણવાનું હવે સ્વીકારવામાં આવેલ છે.
કોમ્પ્યુટર અંગે બેઝિક નૉલેજ શું ગણવું તે દર્શાવતો પરિપત્ર

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.